મંદિરના પૂજારી પાસે અધિકારીઓએ માંગ્યું ભગવાનનું Aadhaar card, કારણ જાણીને ચોંકી જશો

રામજાનકી મંદિરના પૂજારી પાસે અધિકારીઓએ ભગવાનનું આધાર કાર્ડ (Aadhaar card) માંગ્યું. જો કે વિવાદ થતા અધિકારીઓએ કહ્યું કે આવું કાઈ થયું નથી.

મંદિરના પૂજારી પાસે અધિકારીઓએ માંગ્યું ભગવાનનું Aadhaar card, કારણ જાણીને ચોંકી જશો
AADHAAR CARD
Follow Us:
| Updated on: Jun 10, 2021 | 7:30 PM

Aadhaar Card of God : ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં રામજાનકી મંદિર( RamJanki Tample) ના પરિસરમાં 40 વીઘા જમીન પર ઉગાડવામાં આવેલા ઘઉંનું વેચાણ કરવું મંદિરના પૂજારી માટે માથાનો દુખાવો બની ગયો હતો. વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ કે રામજાનકી મંદિરના પૂજારી પાસે અધિકારીઓએ ભગવાનનું આધાર કાર્ડ (Aadhaar card) માંગ્યું. જો કે વિવાદ થતા અધિકારીઓએ કહ્યું કે આવું કાઈ થયું નથી.

શું હતો સમગ્ર મામલો ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લામાં ખુરહંડ ગામમાં રામજાનકી મંદિર (RamJanki Tample) આવેલું છે. આ મંદિરમાં રામકુમારદાસ પૂજારી તરીકે સેવા આપે છે અને મંદિરનું ધ્યાન રાખે છે. આ મંદિરની 40 વીઘા જમીનમાં ઘઉં ઉગાડવામાં આવે છે અને તેના વેચાણથી આવતા નાણાથી મંદિરની જાળવણી કરવામાં આવે છે. આ વર્ષે 40 વીઘા જમીન પર ઉગેલા ઘઉંના ટેકાના ભાવે વેચાણ માટે પૂજારી રામકુમારદાસે પોતાના આધારકાર્ડ (Aadhaar card) પર ઓનલાઈન નોંધણી કરાવી હતી.

SDM એ રદ્દ કરી પૂજારીની નોંધણી પૂજારી રામકુમારદાસે પોતાના આધારકાર્ડ (Aadhaar card) પર મંદિરની 40 વીઘા જમીનમાં ઉગાડવામાં આવેલા ઘઉંની ટેકાના ભાવે વેચાણની કરેલી નોંધણી અતર્રાના SDM એ રદ્દ કરી નાખી હતી અને કહ્યું કે જેના નામે જમીન છે તેનું જ આધારકાર્ડ આપવાનું રહેશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અધિકારીઓએ માંગ્યું ભગવાનનું Aadhaar card જેના નામે જમીન તેનું આધારકાર્ડ આપો એવું કહેતા પૂજારી રામકુમારદાસે કહ્યું કે જમીન તો ભગવાનના નામે એટલે કે રામજાનકી (RamJanki Tample) મંદિરના નામે છે. તો અધિકારીઓએ કહ્યું ભગવાનનું આધારકાર્ડ (Aadhaar Card of God) આપો. અધિકારીઓની આ વિચિત્ર માંગણીથી વિવાદ ઉભો થયો હતો. જો કે વિવાદ બાદ અધિકારીઓએ કહ્યું કે અમે ભગવાનનું આધાર કાર્ડ માંગ્યું નથી.  અતર્રાના SDM સૌરભ શુક્લાએ કહ્યું –

“ભગવાનનું આધારકાર્ડ માંગવામાં આવ્યું નથી. ખરીદનીતિ અનુસાર ખેડૂતોના પાકની ટેકાના ભાવે ખરીદી થઇ શકે છે. મંદિર કે ટ્રસ્ટના નામે ટેકાના ભાવે ખરીદીની કોઈ જોગવાઈ નથી.”

અતર્રા APMC ના અધિકારી સમીર શુક્લાએ કહ્યું –

“ખરીદનીતિ અનુસાર ટેકાના ભાવે મંદિર કે ટ્રસ્ટના પાકની ખરીદી નથી થઇ શકતી, પરંતુ તેના ભાગીદારો પોતાના ભાગના પાકની ઓનલાઈન નોંધણી કરાવી વેંચી શકે છે. આ મંદિરના પાકની ટેકાના ભાવે ખરીદી નથી કરવામાં આવી તેવી કોઈ બાબત સામે આવી નથી.”

આ પણ વાંચો : Udyam Registration : કોરોનાકાળમાં રાજ્યમાં 1,89,303 MSME નું રજીસ્ટ્રેશન થયું, સરકાર આપે છે આ લાભો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">